જન્મદિવસ મુબારક
સોમવાર,8 ઓક્ટોબર 2018
પ્રભુ, જય રણછોડ
ફૂલ ઉગ્યા છોડ
આજે તો તમે ખુશખુશાલ
તમને આપું અભિનંદન અને ફૂલ
તમારા જીવન માં રહે સદા મહેક
દોસ્તો મળ્યા હશે અનેક
પણ આપણી રહી એક ટેક
હંમેશા રહયા આત્મીય અને નેક।
જીવન માં રોજ સવાર થાય
સૂર્યદેવતા ના દર્શન પણ થાય
પણ આજ઼ નો દિવસ અનેરો કહેવાય
એને પ્રભુ ને અર્પણ કરી ઉજવાય।
ડાકોર જેવા પવિત્રધામ ના સાનિધ્ય માં
આત્મચિંતન કરી તેની સેવા માં
“આપને દીર્ઘાયુ અર્પે “
એવી અભ્યર્થના અને મનોકામના।
લીલીવાડી અને ભર્યુભાદર્યું ઘર
પ્રભુ એ આપ્યું છે વિશાળ અને ઉદાર મન
સેવાભાવના સદા બની રહે
આત્મા ખુશ રહે અને બધાને સુખી રાખે
હસમુખ અમથાલાલ મેહતા
Leave a Reply