બળતા માં ઘી હોમવાનું નથી
મારા લોહી માં હજુ ગરમી છે
વતન પરસ્ત લાગણી છે
હજુ હું સેવા આપવા માંગુ છું
પણ એક સવાલ હું પૂછી શકુછું?
શા માટે આપણે વિભાજન વાળી તાકતો ને છાવરીએ છીએ?
એમના રખરખાવ માટે કરોડો રૂપિયા ખર્ચીએ છીએ
અને હવે મ્યાનમાર ના શરણાર્થી ઓ પણ કાશ્મીર માં આવીગયા છે
કાશ્મીરી પંડિતો ને ન્યાય તો આપવો દૂર પણ સહાય કરવા ના પણ ફાંફા થઇ ગયા છે।
ફારૂક અને એના સાથી ઓ એકબીજાના પૂરક થઇ ગયા
સૈનિકો સસ્તા અને પારકા પોતાના થઇ ગયા
અરે શરમ કરો ‘બેઈમાનો’ તમારી માતૃભૂમિ નું ચીરહરણ કરી રહયા છો
મફત નું ખાઓછો અને અહીંજ પલીતી ફેલાવી રહયા છો।
નહિ મળે વે સમય નું ખાવાનું?
ભૂલી જશો બંદગી પણ કરવાનું?
જો એમના હાથ નીચે આવી ગયા તો
દોજખ પણ નસીબ નહિ થાય જો ફેલાવશો આતંક તો।
કોઈ ધર્મ નહિ શીખવાડતો
બધા ને સાચી શીખ અને સંદેશો આપતો
શા માટે આપણે પુરવાર કરી રહ્યા છીએ?
‘અમે નમકહરામ છીએ ‘તે ઉક્તિ સાર્થક કરી રહયા છીએ
હજુ કઈ જ બગડ્યું નથી
પણ આપણે વધારે બળતા માં ઘી હોમવાનું નથી
નહિ સાચવીશું તો કાલ આપણી નથી
આ રાજકારણીઓની લાળ ટપકવાની બંધ થવાની નથી
Leave a Reply