ધીરજ ખૂટી મુરારી
તારા વિના શ્યામ
સૂનું લાગે ગોકુલધામ
વ્યાકુળ થાયે ગોપ તમામ
કોણ બંધાવે તેમને હામ।
વાંસળી ના વાગે
પણ સુર તેના ગગન માં ગાજે
આવશે આજે કે પછી કાલે
બગડશે તબીઅત અને થાશે વલે।
એકે એક કણ તમારો અભિલાષી
નિસાસો નાખે દરેક વનવાસી
એક જ રટણ નાખે ગોકુલવાસી
હવે તો દર્શન આપો મીનપિયાસી
માતા પણ કરે છે વિલાપ
એક જ કરે છે આલાપ
પ્રભુ સ્વયં તો છો કરતા ધરતા આપ
કેમ આપો છો આટલો સંતાપ?
કુંજછે ખાલી કુંજવિહારી
આપની જ છે બલિહારી
પેલી કોયલ પણ આજે હારી
હવે તો ધીરજ ખૂટી મુરારી
અરે! આ સાદ તો મુરલીધર નો
મારા પ્રભુ જગન્નનાથ નો
કેવી લચી પડી છે વૃક્ષ કેરી વડવાઈઓ
અભિવાદન કરે છે અને સહર્ષ વંદન કરે છે લતાઓ।
Leave a Reply