છાયા વચ્ચે મારગ
કરી લો ને દોસ્તી
પણ ના કરશો સસ્તી
એમાંજ વસે છે મા સરસ્વતી
જગત જનની માં ભગવતી।
‘કૃપાળુ ભગવાન’ તમારો સાથ રહે
ચારો હાથ મારા માથા પર રહે
કોઈ ચૂક અજાણતા માં પણ ના થાય
મારા કર્યા ઉપર પાણી ના ફરી જાય।
ઝેર ના પારખા ના હોય
વિધિના વિધાન આંચકા આપના રાજ હોય
પણ કબુલ આપણે કરવાનું છે
ઠરીઠામ આપણે થવાનું છે।
જીવન છે એટલે મુસીબત પણ આવે
પણ એતો વણઝાર આવે અને જાવે
વિશ્વાસ નો ડગ ક્યારેય આડો અવળો ના જાય
ભલે ને પછી મોટું નુકસાન થઇ જાય।
ઘરડા પહેલા કહેતા ‘ભાઈ ધીરજ ના ફળ મીઠા ‘
ભલે ને સમાચાર આવે માઠા
એમાં પણ ગૂઢ રહસ્ય સમાયેલું હોય
તમારું હીત સચવાયેલું હોય।
મને આકાશ ઘેરું ઘેરું લાગે
એનો પટ કેટલો વિશાળ લાંગે!
મારા જેવા કેટલા તારલા ઝબૂકતા હશે?
કેટલા ને તેનો અણસારો આવતો હશે?
જીવન છે એટલે જીવી જાણીશું
એની મજા અને આનંદ પણ માણીશુ
સુખ ની પળો અને દુઃખ ની છાયા વચ્ચે મારગ જરૂર થી શોધીશું
‘આગ઼લા ભવ માટે નુ ભાથું’ પણ તૈયાર કરી રાખીશું।
Leave a Reply