એક કુટુંબ ની ભાવના
અણમોલ છે આ જિંદગી
એમાં પણ કાયમ રહેલ સાદગી
કોની કોની યાદ રહે કાયમી?
સારો આદમી કે પછી જુલ્મી!
કોણ કહે છે એ કાયમ નથી?
કુદરત નો કોઈ નિયમ નથી
બધા એકજ વિશ્વાસ ને તાંતણે બંધાણા
એકજ કુટુંબ અને બધા સભ્યો કેહવાણાં।
જુદા ભલે રહેતા હોય
પણ ભલો ભાવ મન માં હોય
કોઈને કોઈ દુઃખ તો હોય જ
પણ લાગણી તો એકજ હોય।
એવો શું છે મંત્ર જીવન ની જીવંત પળો માં?
ધન્ય થઇ જઇયે બધા બહોળા કુટુંબ માં
એક બીજાનો આદર કરીયે અને સન્માન આપીયે
તોજ આપણે સદગૃહસ્થ કે સન્નારી કહેવાઈએ।
આપણી આંખો ભીની થઇ જાય
જો કોઈ સદસ્યનું અવસાન થઇ જાય
આપણી વચ્ચેથી વિદાય થઇ જાય
એની પાછળ એક દુઃખદ વિલાપ મુકતો જાય।
એક કુટુંબ ની ભાવના જ આપણ ને સંગઠિત રાખેછે
એક બીજા પ્રત્યે સુખદુઃખ માં સહભાગી થવાની પ્રતીતિ કરાવે છે
‘વસુધૈવ કટુંમ્બક્મ’ ની ભાવના નું સિંચન અહીજ થાય છે
આજ છે તાદ્રશ ચિતાર કુટુંબ નો અને એની પ્રતીતિ પણ અહીંજ થાય છે।
Leave a Reply