અહીં અમીર કોઈ નથી,
આ બધી લાઈન શાની છે?
બધા કતાર માં ઉભેલા અજ્ઞાની છે
સિત્તેર વર્ષ થી પીડાતી જનતાનો અવાજ છે
‘નરેન્દ્રભાઈ તમે આગળ વધો’ તમે આમારી આજ છો।
ઠાલા ઠાલા વચનો થી દેશને ખાલી ભ્રમિત જ કર્યો છે
પૈસા થી ઘર ભરી ને ખાલી દ્રોહ જ કર્યો છે
આપણે લોકો પણ ધોતી અને સાડી ના ચક્કર માં આવી ગયા
આ લોકો આપણ ને મૂર્ખ બનાવી ને રાજ કરતા જ ગયા।
દેશે કેટલા બધા ગુજરાતી રત્નો જોયા છે
બહાર ના રાજકારણે કેટલી વિભૂતિઓ ને ખોયા છે
દેશે ગાંધીજી ને યાદ રાખ્યા, પણ મૂલ્યો ને ખોયા છે
ગુજરાત ને બરબાદ કરી ને બહારના ને જ સાચવ્યા છે।
આજે નહિ તો કદાપિ નહિ
ભલે ખાંભી ખંડાઈ જાય અહીં
રાજ જાય, પાટ જાય પણ ગરીબ નો અવાજ દૂર સુધી સંભળાય
આવું ને આવું ક્યાં સુધી સહન થાય।
ગરીબ ને ગુમાવવાનું કૈં જ નથી
શ્રીમંત સમજે છે તેનામાં બુદ્ધિજ નથી
તેને થોડું પ્રલોભન આપીશું એટલે લઈને માં ઉભો રહી જશે
ઘણા લાલચ માં આવી ગયા પણ મોટા ભાગ ના ઉભા છે હોંશે હોંશે।
દેશ સામે જોવાની કોઈની હિમ્મત નથી
બસ જોઈએ તો પડખે ઉભા રેહવાની કવાયત
ગુજરાત ની જનતા નું ખમીર છે
બતાવી દો કે અહીં અમીર કોઈ નથી, પણ મન ના મીર છે।
Leave a Reply