મન વ્યાકુળ છે
મન વ્યાકુળ છે
ગ્લાની મનમાં પણ અકળ છે
કયાસ તો લગાવ્યો
પણ જરાય નાં ફાવ્યો।
એ તો પૂજા
પણ મળે અમને સજા
ક્યારેય મન ને નાં કળવાદે
મન ની વાત પણ કદી નાં કહે।
પ્રેમ થી વાત કરી જોઈ
મિત્રતા ની ગહરાઈ પણ માપી જોઈ
ક્યાંય મને અણગમા નો આભાસ નાં થયો
પણ પ્રેમસંવાદ નો અંકુર જરૂર ફૂટ્યો।
મન વિવશ જરૂર છે
પણ વિશ્વાસ નો અભાવ નથી
એને જરૂર થી કઈ અવઢવ હશે
મન પણ એનું ચિંતિત અને હાવભાવ રહિત હશે।
કહું છું એને ‘પ્રેમ માં વિવશતા નાં હોય’
લાગણી ના સેતુ તો એમજ બંધાય
મનમાં અસમંજસ રહે પણ પરખ તો કરવીજ પડે
માનવી છીએ એટલેજ સમજ પાડવી પડે।
એટલું તો કહી ચુક્યોજ છું
‘મારા મન રાણી તુ જ છે’
ભલે નહિ હોય રાજ કે પાટ
પણ મટી તો જાશે રઝળપાટ!
‘આજે તો કહીજ દીધું’ તું માની જાને?
હીરો સામેજ છે, પારખી લે ને
એણે પણ ધીરે થી નતમસ્તક કહીજ દીધું
રહ્ય સહ્યું બધુજ હવે આજે હા તો કહી કીધુ।
Leave a Reply