ધન નો સંચય
Sunday, May 13,2018
2: 01 PM
મારે તો શીખવું છે
બધાને નમવું છે
નમવા માં ઘણાજ ફાયદા
કદીના આવે વિપદા।
અહંકાર
આનાથી આવે વિકાર
કરવામનથાય આડંબર
પછી ના દેખાય ધરતી કે અંબર।
પૈસા ને સમજો હાથ નો મેલ
પછી નહિ થાય કોઈ ખેલ
પણ સમજો એનો થયો અતિરેક
સાંભળવા પડશે બોલ દરેક।
અભિમાન તો રાજા રાવણ પણ ના રહયું
રાજા રામ ને પણ વનવાસ જવું પડ્યું
લોકો સર્વોચ્ચ શિખરપર પહોચીને ત્યાગ કરે છે
જ્યારે થોડા ધન ના સંચય થી લોકો અભિમાન કરે છે।
પૈસા ની ભૂખ જરૂર છે
આવશ્યક પણ છે
પૈસા વગર નાથીયો
પૈસે નાથાલાલ કહીયો।
લક્ષ્મી પગ કરી જાય
“તેનું મન ચંચળ” ફરી પણ જાય
પછી તેને મનાવો, તો પણ ના આવે
દરિદ્રતા ને ભેટ તરીકે મોકલાવે।
ધન નોસંચય કરીને સાચવો
સારા માર્ગે ઉપયોગ કરવો
ધન માં જરૂર થી વૃદ્ધિ થશે
પોતાનો અને કુટુંબ નો પણ વિકાસ થશે।
હસમુખ અમથાલાલ મહેતા
Leave a Reply