અવદશા ના આવે
મા એ મા
બીજા બધા વગડા ના વા
કોણ તમને ઉદર માં જગા આપશે?
જગત માં જીવવા માટે વાઘા પહેરાવશે।
મા નું જતન
રક્ષા કરે નજીક થી તન
બધા કોષો તથા અવયવો ને પોષણ
કદી ના થવા દે બીજાથી શોષણ।
તમારા સંસ્કારો ને સીંચે
નામ તમારું કરાવે ઊંચે
સમાજ માં અને કુળ માં ઊંચી ધજા ફરકાવે
આ એકજ હસ્તી તમને જન્મ થી વેંઢારે।
છતાં આજે તેની હાલત?
તેના ઉપર જ ખોટી દાનત?
સ્ત્રી નું ભરી સમાજે અપમાન?
અને પાછા આપણે કરીએ સન્માન!
આપણુ કેટલું બધું થયું છે અધો: પતન!
ખાલી આપીએ ફોકટ વચન
છોડી દઈએ એને મઝધાર
ભટકવા પૂરો સંસાર!
પિતા નો દીકરી ઉપર અત્યાચાર
કરી શકે કોઈ આવો વિચાર?
પણ નરાધમો આજે રાખે છે વિકાર
અરે નાના શિશુઓ નો કરે છે બળાત્કાર।
જાણ્યું અને જોયું તેજ લખ્યું
અમોએ એજ દિવસે સંસાર નો નામશેષ થવાનું ભવિષ્ય ભાખ્યું
ના ટકી શકે આ સંબંધ કોઈ પણ કાળે
માનું આપણે કરીએ છીએ મોટ અકાળે।
જ્યાં છો ત્યાં સુખી રહો?
તમારા ઘર માં ઉજાળું બની રહો
કદી શનિ મહારાજ ની અવદશા ના આવે
સંકટ ના વાદળો આવે પણ અદ્રશ્ય થઇ જાયે।
Leave a Reply